ગાંધીનગર ચેરિટેબલ ટ્રસ્ટ સમર્પણ આર્ટસ એન્ડ કોમર્સ કૉલેજ ખાતે, યુનાઇટેડ નેશન્સ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ અંતર્ગત વિમર્શ કરવા એકદિવસીય મલ્ટીડીસીપ્લીનરી ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

By
sadbhawnapaati
"दैनिक सदभावना पाती" (Dainik Sadbhawna Paati) (भारत सरकार के समाचार पत्रों के पंजीयक – RNI में पंजीकृत, Reg. No. 2013/54381) "दैनिक सदभावना पाती" सिर्फ एक समाचार...
2 Min Read

સંસ્થાના આચાર્ય ડૉ. આશિષ જનકરાય દવેએ પોતાના સ્વાગત પ્રવચનમાં કોન્ફરન્સના હેતુઓ અને લક્ષ્યો અંગે માહિતી આપી હતી. આ કોન્ફરન્સના ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ગાંધીનગર ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શંકરસિંહ વાઘેલાએ તેમના અધ્યક્ષીય ઉદ્બોધનમાં સર્વસમાવેશક વિકાસ સાધવા સામૂહિક પ્રયત્નોની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. અતિથિવિશેષ ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના ચેરમેન હિમાંજય પાલીવાલે ભારતીય સંસ્કૃતિમાં નિહિત ‘વસુધૈવ કુટુમ્બકમ’ ની ભાવના દ્વારા અને ભારતીય ભાષા-સંસ્કૃતિના જતન, સંવર્ધન થકી સંપોષિત વિકાસ સાધી શકાશે, તેમ જણાવ્યું હતું. બીજ વક્તવ્ય આપતાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ. હિતેશ શુક્લએ દેશની જાણીતી ફેમીલી બ્રાન્ડસની સફળતા અને પડકારો અંગે કેસ સ્ટડી આધારિત વિશ્લેષણ રજૂ કર્યું હતું.

ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં ભારતના અલગ અલગ રાજ્યો ઉપરાંત પોલેન્ડ, કેન્યા, અફઘાનિસ્તાન વ. દેશોમાંથી નિષ્ણાતો અને રીસર્ચ સ્કોલર્સ દ્વારા ઓફલાઈન ૧૬૦ અને ૯૫ ઓનલાઈન અભ્યાસપૂર્ણ પ્રેઝન્ટેશન કરવામાં આવ્યા હતા. સમાંતર રીતે, સમર્પણ કેમ્પસમાં પેનલ ડિસ્કશન અને ઇન્ડિયન કોમર્સ એસોસિએશન(ICA)ની એક્ઝીક્યુટીવ મિટીંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું; જેમાં દિલ્હી, હૈદરાબાદ, મહારાષ્ટ્ર, બિહાર, ઉત્તર પ્રદેશ વ.માંથી ખ્યાત શિક્ષણવિદો અને હોદ્દેદારોએ ભાગ લીધો હતો.

સમાપન સત્રના મુખ્ય અતિથિ ચિલ્ડ્રન્સ રીસર્ચ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડૉ. નીલેશ પંડ્યાએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ સંદર્ભે કોન્ફરન્સ થીમની ચર્ચા કરી હતી. અધ્યક્ષ ટ્રસ્ટી મહેન્દ્રસિંહ વાઘેલા, રજિસ્ટ્રાર ડૉ. એમ.ડી. પાંડે અને પ્રિન્સિપાલ ડૉ. આશિષ જનકરાય દવેએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત તમામ સહભાગીઓનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

Share This Article
Follow:
"दैनिक सदभावना पाती" (Dainik Sadbhawna Paati) (भारत सरकार के समाचार पत्रों के पंजीयक – RNI में पंजीकृत, Reg. No. 2013/54381) "दैनिक सदभावना पाती" सिर्फ एक समाचार पत्र नहीं, बल्कि समाज की आवाज है। वर्ष 2013 से हम सत्य, निष्पक्षता और निर्भीक पत्रकारिता के सिद्धांतों पर चलते हुए प्रदेश, देश और अंतरराष्ट्रीय स्तर की महत्वपूर्ण खबरें आप तक पहुंचा रहे हैं। हम क्यों अलग हैं? बिना किसी दबाव या पूर्वाग्रह के, हम सत्य की खोज करके शासन-प्रशासन में व्याप्त गड़बड़ियों और भ्रष्टाचार को उजागर करते है, हर वर्ग की समस्याओं को सरकार और प्रशासन तक पहुंचाना, समाज में जागरूकता और सदभावना को बढ़ावा देना हमारा ध्येय है। हम "प्राणियों में सदभावना हो" के सिद्धांत पर चलते हुए, समाज में सच्चाई और जागरूकता का प्रकाश फैलाने के लिए संकल्पित हैं।